
અંતિમ સંસ્કાર કર્યા બાદ શું ન કરવું જોઈએ ? ઘરમાં પ્રવેશ કરતા પહેલા સ્નાન કરવું જરૂરી છે..!
What should not be done after cremation? હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ સોળ સંસ્કારમાંથી અંતિમ સંસ્કાર એક છે. અંતિમ સંસ્કાર એવી પ્રક્રિયા છે જેમાં શરીર પંચતત્વમાં વિલિન થાય છે. તેથી જ અંતિમ સંસ્કાર કરતી વખતે કેટલાક રીતરિવાજોનું પાલન કરવામાં આવે છે. આમ કરવું અનિવાર્ય છે. કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેની અંતિમયાત્રા નીકળે છે અને સ્મશાનમાં લઈ જઈ તેના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. અંતિમ યાત્રા દરમિયાન મોટાભાગના લોકો સફેદ કપડામાં જોવા મળે છે અને સ્મશાનથી પરત આવ્યા પછી સૌથી પહેલા સ્નાન કરવામાં આવે છે અને પછી જ ઘરમાં પ્રવેશ મળે છે. આમ કરવાનું પણ ખાસ કારણ છે.
શાસ્ત્રો અનુસાર સફેદ રંગ સાત્વિક રંગ છે અને તે શાંતિ વ્યક્ત કરે છે. સાથે જ આ રંગ નકારાત્મક શક્તિઓના સંપર્કમાં આવતા બચાવે છે. તેજીત સ્મશાનમાં જતી વખતે સફેદ રંગના કપડા પહેરવામાં આવે છે જેથી તમે નકારાત્મક ઊર્જાના સંપર્કમાં આવવાથી બચો.
• ગરુડ પુરાણ અનુસાર જ્યારે તમે કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરીને પરત ફરો તો પાછળ ફરીને જોવું નહીં. માન્યતા અનુસાર જો તમે આવું કરો છો તો તમે તે વ્યક્તિનો મોહ ભંગ કરો છો. દાહ સંસ્કાર પછી વ્યક્તિની આત્મા મોહના કારણે પોતાના ઘરે આવવા ઈચ્છે છે તેવામાં પાછળ ફરીને ક્યારેય જોવું નહીં.
• સ્મશાનથી પરત ફરો એટલે ઘરમાં પ્રવેશ કરતા પહેલા સ્નાન કરવું જોઈએ. માન્યતા છે કે સ્મશાનમાં ઘણા પ્રકારની નકારાત્મક ઉર્જાઓ રહેતી હોય છે તેથી ઘરે આવીને સૌથી પહેલા સ્નાન કરી પહેલા કપડાં ધોઈ નાખવા જોઈએ ત્યાર પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. (It is necessary to take a bath before entering the house)
• જે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યાં 12 દિવસ સુધી તે વ્યક્તિની આત્માને શાંતિ માટે દીવો પ્રજવલિત કરવો જોઈએ સાથે જ પિતૃ પક્ષ દરમિયાન પિંડદાન કરવું જોઈએ.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - What should not be done after cremation? It is necessary to take a bath before entering the house